Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સંઘનું લક્ષ્ય હિન્દુ સમાજને સ્નેહના તાંતણે બાંધવાનું:મોહન ભાગવતે કહ્યું- RSSનો મુળ વિચાર પોતાનુંપણું છે; 26 ઓગસ્ટથી શતાબ્દી સમારોહ શરૂ થશે

    3 months ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સુપ્રીમો મોહન ભાગવતે શુક્રવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મૂળ વિચાર પોતાનુંપણું છે. જો RSSને એક શબ્દમાં વર્ણવવામાં આવે તો તે 'પોતાનાપણું' હશે. ભાગવતે કહ્યું- સંઘનો ઉદ્દેશ્ય સમગ્ર હિન્દુ સમાજને આત્મીયતા અને સ્નેહના તાંતણે બાંધવાનો છે. આ સાથે, હિન્દુ સમાજે સમગ્ર વિશ્વને આત્મીયતાના તાંતણે બાંધવાની જવાબદારી પણ લીધી છે. સંઘના વડા ભાગવત પુણેમાં આયુર્વેદચાર્ય સ્વર્ગસ્થ વૈદ્ય પીવાય ખડીવાલેના જીવનચરિત્રના વિમોચન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. ભાગવતના નિવેદનના મહત્વપૂર્ણ મુદ્દાઓ... RSS શતાબ્દી સમારોહ 26 ઓગસ્ટથી શરૂ થશે RSS પોતાના શતાબ્દી વર્ષની ઉજવણી સેંકડો હિન્દુ સંમેલનો અને સમુદાય સભાઓ સાથે કરવા જઈ રહ્યું છે. તેનું દેશભરમાં આયોજન થશે. 2 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે એક અખિલ ભારતીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેની શરૂઆત 26 ઓગસ્ટે દિલ્હીમાં મોહન ભાગવત દ્વારા ત્રણ દિવસીય વ્યાખ્યાન શ્રેણીથી થશે. આ પછી, આ વ્યાખ્યાનો મુંબઈ, બેંગલુરુ અને કોલકાતામાં યોજાશે. ભાગવત સંબંધિત આ સમાચાર પણ વાંચો... RSS વડાએ કહ્યું- શક્તિશાળી બનવા સિવાય કોઈ વિકલ્પ નથી: કહ્યું- હિન્દુઓ એક થાય, દેશની સેનાને પણ મજબૂત બનાવે, જેથી કોઈ તેને જીતી ન શકે ભારત પાસે શક્તિશાળી બનવા સિવાય કોઈ વિકલ્પ નથી. આપણે આપણી બધી સરહદો પર દુષ્ટ તાકાતોનો ત્રાસ જોઈ રહ્યા છીએ. ભાગવતે હિન્દુ સમાજને એક થવા અને ભારતીય સેનાને મજબૂત બનાવવા અપીલ કરી હતી, જેથી ઘણી શક્તિઓ એક સાથે આવે તો પણ તેઓ તેને જીતી ન શકે. ભાગવતે કહ્યું - કૃષિ, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્રાંતિઓ સમાપ્ત થઈ ગઈ છે. હવે વિશ્વને ધાર્મિક ક્રાંતિની જરૂર છે અને ભારતે જ તેનો રસ્તો બતાવવો પડશે.
    Click here to Read more
    Prev Article
    'Humbly accept it as prasad': PM Modi honoured as 'Dharma Chakravarti' on Jain saint Vidyanand's centenary
    Next Article
    પુરીમાં ત્રણેય રથ ગુંડીચા મંદિર પહોંચ્યાં:ભગવાન 9 દિવસ માસીના ઘરે રહેશે; 10 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો, 650થી વધુ લોકોની તબિયત લથડી

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment