Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પુરીમાં ત્રણેય રથ ગુંડીચા મંદિર પહોંચ્યાં:ભગવાન 9 દિવસ માસીના ઘરે રહેશે; 10 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો, 650થી વધુ લોકોની તબિયત લથડી

    3 months ago

    ઓડિશાના પુરીમાં જગન્નાથ યાત્રાનો શનિવારે (આજે) બીજો દિવસ છે. આજે સવારે 10 વાગ્યે રથયાત્રા ફરી શરૂ થઈ. ભક્તોએ ત્રણેય રથોને ખેંચવાનું શરૂ કર્યું. ભગવાન બલભદ્રનો રથ તાલધ્વજ સવારે 11.20 વાગ્યે અને દેવી સુભદ્રાનો દર્પદલન રથ બપોરે 12.20 વાગ્યે અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ બપોરે 1.11 વાગ્યે ગુંડીચા મંદિર પહોંચ્યો. મુખ્ય મંદિરથી ગુંડીચા મંદિરનું અંતર 2.6 કિમી છે. 10 લાખથી વધુ ભક્તોની હાજરી જોવા મળી હતી. ભગવાન ગુંડીચા મંદિરમાં 9 દિવસ રોકાશે. પહેલા દિવસે રથ 750 ​​મીટર પણ આગળ વધી શક્યા નહીં. મોડી સાંજે દેવી સુભદ્રાના રથની આસપાસ ભીડના વધતા દબાણને કારણે, 625 ભક્તોની તબિયત લથડી. ઘણા બેભાન થઈ ગયા અને કેટલાક ઘાયલ થયા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 70 લોકો હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 9 લોકોની હાલત ગંભીર છે. પુરી રથયાત્રાના પહેલા દિવસના ફોટા... 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન:ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા, આખી રાત ભગવાન પરિસરમાં રહશે; ખાડિયામાં એક ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ મચી હતી આજે (27 જૂન) અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાના પ્રારંભ પહેલાં સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ CM ભૂપેન્દ્ર પટેલે સવારે 7 વાગ્યે પહિંદવિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે રાત્રે 9:30 વાગ્યે ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read more
    Prev Article
    સંઘનું લક્ષ્ય હિન્દુ સમાજને સ્નેહના તાંતણે બાંધવાનું:મોહન ભાગવતે કહ્યું- RSSનો મુળ વિચાર પોતાનુંપણું છે; 26 ઓગસ્ટથી શતાબ્દી સમારોહ શરૂ થશે
    Next Article
    JNU Invites Applications For PhD Admissions 2025, Check Deadline, Eligibility

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment