Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    અમદાવાદ ક્રેશ: સુપ્રીમ કોર્ટે કહ્યું, પાઇલટની ભૂલની ચર્ચા ખેદજનક:સ્વતંત્ર તપાસની શક્યતા શોધો; કેન્દ્ર, DGCA અને તપાસ એજન્સી AAIB પાસેથી પણ જવાબો માગ્યા

    2 weeks ago

    સુપ્રીમ કોર્ટે સોમવારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઇલટની ભૂલને લઈને ચાલી રહેલી અટકળોને "ખેદજનક " ગણાવી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) પાસેથી જવાબ માંગ્યો હતો. ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશવર સિંહની બનેલી બેન્ચે આ મામલાની સ્વતંત્ર તપાસની શક્યતા પણ નોંધી હતી, જે એવિએશન સેફ્ટી એનજીઓ સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પ્રારંભિક અહેવાલ મહત્વપૂર્ણ માહિતી છુપાવે છે અને નાગરિકોના જીવન, સમાનતા અને સચોટ માહિતી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. પીઆઈએલમાં જણાવાયું છે કે, ઇંધણ સ્વીચ નિષ્ફળતા અને ઇલેક્ટ્રિકલ ખામી જેવી ટેકનિકલ સમસ્યાઓને અવગણવામાં આવી હતી અને અકસ્માત માટે ફક્ત પાઇલટ પર દોષ મૂકવામાં આવ્યો હતો. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું હતું, જેમાં 270 લોકોનાં મોત થયા હતા. સુમિત સભરવાલ ફ્લાઇટના મુખ્ય પાઇલટ હતા અને ક્લાઇવ કુંદર કો-પાઇલટ હતા. કોર્ટે કહ્યું કે રિપોર્ટ જાહેર કરવાથી તપાસ પર અસર પડશે NGOનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને જણાવ્યું હતું કે અકસ્માતને 100થી વધુ દિવસ વીતી ગયા છે, પરંતુ ફક્ત પ્રારંભિક અહેવાલ જ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, આ રિપોર્ટમાં ખરેખર શું બન્યું હતું અથવા ભવિષ્યમાં કઈ સાવચેતી રાખવી જોઈએ તે સમજાવવામાં આવ્યું નથી. આનો અર્થ એ થયો કે આ બોઇંગ વિમાનોમાં મુસાફરી કરનાર કોઈપણ વ્યક્તિ આજે પણ જોખમમાં છે. આના પર કોર્ટે કહ્યું કે નિષ્પક્ષ તપાસની માંગ યોગ્ય છે, પરંતુ તમામ તારણો જાહેર કરવાથી તપાસ પર અસર પડી શકે છે. 12 જુલાઈ: AAIBએ અકસ્માત અહેવાલ જાહેર કર્યો એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઈના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગેનો પોતાનો પ્રારંભિક અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલમાં પાઇલટ સુમિત સભરવાલ અને કો-પાઇલટ ક્લાઇવ કુંદર વચ્ચેની વાતચીતનો સમાવેશ થાય છે. કોકપીટ ઓડિયો મુજબ, એક પાઇલટે પૂછ્યું, "તમે કેમ કટ કેમ કર્યું?" અને બીજાએ જવાબ આપ્યો, "મેં નથી કર્યું." આનાથી પાઇલટની ભૂલની અટકળો શરૂ થઈ છે. પાઇલટ અને કો-પાઇલટ અનુભવી હતા અમદાવાદ-લંડન ફ્લાઇટના પાઇલટ સુમિત સભરવાલ હતા અને કો-પાઇલટ ક્લાઇવ કુંદર હતા. સુમિતને 8,200 કલાકથી વધુ ઉડાનનો અનુભવ હતો. કો-પાઇલટને 1,100 કલાક ઉડાનનો અનુભવ પણ હતો. આમ, બંને અનુભવી પાઇલટ હતા. વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયનનો સમાવેશ થાય છે. આમાં 103 પુરુષો, 114 મહિલાઓ, 11 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
    Click here to Read more
    Prev Article
    સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો થઈ શકે છે:SBI રિપોર્ટમાં દાવો, હાલમાં RBIનો રેપો રેટ 5.50% પર છે
    Next Article
    Tourists' Car Nearly Swept Away On Maharashtra Beach, Rescued By Locals

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment