Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    લલિત મોદીના ભાઈની બળાત્કાર કેસમાં ધરપકડ:મહિલાએ 2019થી શોષણ અને બ્લેકમેઇલિંગના આરોપ લગાવ્યા, સમીર મોદીના વકીલે કહ્યું-પૈસા પડાવવા FIR કરી; 50 કરોડ માગી રહી

    2 weeks ago

    દિલ્હી પોલીસે ગુરુવારે સાંજે દિલ્હી એરપોર્ટ પરથી બિઝનેસમેન સમીર મોદીની ધરપકડ કરી હતી, જે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ છે. એક મહિલાએ તેમના પર 2019થી વારંવાર બળાત્કાર, બ્લેકમેઇલિંગ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. ત્યારબાદ બિઝનેસમેન વિરુદ્ધ લુક-આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યો હતો. યુરોપની બિઝનેસ ટ્રીપ પરથી પરત ફર્યા બાદ ગુરુવારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલ્હીની એક કોર્ટે સમીરને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આ દરમિયાન, સમીરના વકીલે દાવો કર્યો હતો કે બિઝનેસમેન સામેના આરોપો ખોટા છે. એડવોકેટ સિમરન સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "FIR ખોટા અને બનાવટી તથ્યો પર આધારિત છે. સમીર મોદી પાસેથી પૈસા પડાવવા માટે આ કેસ કરવામાં આવ્યો છે." મહિલાનો આરોપ- બળાત્કારની વાત જાહેર કરી તો તેને મારી નાખવાની ધમકી આપી પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાનો આરોપ છે કે બિઝનેસમેને 2019માં ફેશન અને લાઇફસ્ટાઇલ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દીની તક આપવાના બહાને તેનો સંપર્ક કર્યો હતો. ડિસેમ્બર 2019માં, સમીરે તેને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની ખાતેના તેના ઘરે બોલાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો. મહિલાએ જણાવ્યું હતું કે બિઝનેસમેને તેના પર વારંવાર બળાત્કાર કર્યો હતો, મારપીટ કરી અને લગ્નના ખોટા વચનો આપીને તેને બ્લેકમેલ કરી હતી. તે જાણતી હતી કે સમીર મોદી પહેલાથી જ પરિણીત છે. તેણે દાવો કર્યો હતો કે જો તેણે બળાત્કારનો ખુલાસો કરશે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સમીરે તેને ડરાવીને અને ખોટા આશ્વાસનો આપીને મોઢું બંધ રાખવાના પ્રયાસ કર્યા હતા. સમીર મોદીના વકીલોનો દાવો છે કે મહિલાએ 50 કરોડ રૂપિયાની માંગણી કરી આ દરમિયાન, સમીરના વકીલો દ્વારા જારી કરાયેલા નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલા 2019 થી સમીર મોદી સાથે સંબંધમાં હતી. દાવા મુજબ, સમીર મોદીએ 8 અને 13 ઓગસ્ટના રોજ મહિલા વિરુદ્ધ અલગ અલગ પોલીસ અધિકારીઓ સમક્ષ ફરિયાદો નોંધાવી હતી, જેમાં ખંડણી અને બ્લેકમેલનો આરોપ લગાવવામાં આવ્યા હતા. સમીરના વકીલોએ દાવો કર્યો હતો કે બિઝનેસમેન અને મહિલા વચ્ચેની વાતચીતની વોટ્સએપ ચેટ પણ છે, જેમાં મહિલાએ ₹50 કરોડની માંગણી કરી હતી. તેમણે દિલ્હી પોલીસ પર પુરી ચકાસણી કર્યા વિના જ ઉતાવળમાં ધરપકડ કરવાનો આરોપ લગાવ્યો હતો. સમીર અગાઉ તેના પિતાની મિલકતના વિવાદમાં ફસાયેલો હતો સમીર મોદીની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેઓ મોદી એન્ટરપ્રાઇઝના મેનેજિંગ ડિરેક્ટર છે, મોદી કેર ફાઉન્ડેશન અને કલરબાર કોસ્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક છે. લલિત મોદી મોદી એન્ટરપ્રાઇઝના પ્રમુખ છે. આ પહેલી વાર નથી જ્યારે સમીર મોદી વિવાદમાં ફસાયા હોય. તેઓ અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાયેલા છે. તેઓ અગાઉ તેમના પિતા કેકે મોદીની ₹11,000 કરોડ (આશરે $1.5 બિલિયન) ની સંપત્તિના વિવાદમાં ફસાયેલા હતા. સમીર મોદી, તેમની માતા બીના મોદી અને તેમના ભાઈ-બહેનો વચ્ચે આ કાનૂની લડાઈ વર્ષોથી ચાલી રહી છે. આ કેસ હાલમાં કોર્ટમાં સુનાવણી હેઠળ છે. વધુમાં, ગયા વર્ષે, સમીર મોદીએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયામાં બોર્ડ મીટિંગ દરમિયાન તેની માતાના અંગત સુરક્ષા અધિકારીએ તેના પર હુમલો કર્યો હતો. સમીર મોદીએ આરોપ લગાવ્યો હતો કે આ હુમલો તેમને કંપનીના બોર્ડમાંથી દૂર કરવાના કાવતરાનો ભાગ હતો. જોકે, તેમની માતાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. સમીરને ઓગસ્ટ 2024માં કંપનીના બોર્ડમાંથી હટાવવામાં આવ્યો હતો. સમીર ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને ચારુ મોદી સહિત ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. લલિત મોદી ₹ 12,000 કરોડની કંપનીના માલિક છે લલિત મોદીની કંપની, મોદી એન્ટરપ્રાઇઝિસ, ₹12,000 કરોડની નેટવર્થ ધરાવે છે. કંપની કૃષિ, તમાકુ, પાન મસાલા, માઉથ ફ્રેશનર્સ, કન્ફેક્શનરી, રિટેલ, શિક્ષણ, સૌંદર્ય પ્રસાધનો, મનોરંજન અને રેસ્ટોરન્ટ્સમાં કાર્યરત છે. ભારત ઉપરાંત, મોદી એન્ટરપ્રાઇઝિસ મિડલ ઈસ્ટ, પશ્ચિમ આફ્રિકા, દક્ષિણપૂર્વ આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા, પૂર્વી યુરોપ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકામાં ફેલાયેલી છે. મીડિયા અહેવાલો અનુસાર, લલિત મોદીની કુલ સંપત્તિ ₹4.5 હજાર કરોડ હોવાનો અંદાજ છે. તેમની પાસે ત્રણ ફેરારી કાર છે, દરેકની કિંમત ₹15 કરોડ છે. લલિત મોદી પર IPL ખેલાડીની બોલીમાં ગોટાળા, મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું ઉલ્લંઘન કરવાના આરોપો છે. 2010 માં તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેઓ લંડન ભાગી ગયા હતા. લલિત મોદી ભારત છોડીને કેમ ભાગી ગયા? લલિત મોદી 2005 થી 2009 સુધી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા. 2008માં, તેમણે IPL શરૂ કરી. BCCI એ તેમને IPL ના પ્રથમ અધ્યક્ષ અને લીગ કમિશનર તરીકે નિયુક્ત કર્યા. 2010માં, લલિત પર IPLમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો. લલિતે મોરેશિયસ સ્થિત કંપની વર્લ્ડ સ્પોર્ટ્સને ₹425 કરોડનો IPL કોન્ટ્રાક્ટ આપ્યો હતો. મોદી પર ₹125 કરોડનું કમિશન લેવાનો આરોપ હતો. એવો પણ આરોપ હતો કે તેમણે બે નવી ટીમો માટે હરાજી દરમિયાન ખોટી રીતોનો ઉપયોગ કર્યો હતો. 2010માં, બીસીસીઆઈએ આઈપીએલની ત્રીજી સીઝનની ફાઇનલ પછી તરત જ લલિત મોદીને સસ્પેન્ડ કરી દીધા હતા. અંડરવર્લ્ડની ધમકીઓનો હવાલો આપીને, લલિત મોદી 2010માં ભારતથી લંડન ભાગી ગયા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમની સામે "બ્લુ કોર્નર" નોટિસ જારી કરી હતી. તેમનો પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો હતો.
    Click here to Read more
    Prev Article
    iPhone 17 લેવા પડાપડી નહીં, મારામારી! VIDEO:મુંબઈમાં ભીડને કાબૂ કરવા સિક્યોરિટી બોલાવી પડી, નવી સિરીઝનું વેચાણ શરૂ; સૌથી પાતળા મોડલની કિંમત ₹1.20 લાખ
    Next Article
    Indian student shot dead by US police: What cops claim, what kin allege - 10 things to know about the incident

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment