Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    UPIથી હવે દરરોજ ₹ 10 લાખ સુધીની ખરીદી કરી શકાશે:તમે ₹6 લાખના જ્વેલરી ખરીદી શકશો; અગાઉ ગ્રાહક-વેપારી વચ્ચે દૈનિક લિમિટ ₹2 લાખ હતી

    3 weeks ago

    UPI યુઝર્સ આજથી એટલે કે 15 સપ્ટેમ્બરથી એક દિવસમાં 10 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) ચુકવણીની ઘણી કેટેગરીઓમાં દૈનિક લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી છે. આ નિર્ણયથી, વીમા, રોકાણ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ જેવા મોટા વ્યવહારો પણ UPI દ્વારા કરી શકાશે. આજથી UPI પેમેન્ટ મર્યાદામાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે તે સવાલ-જવાબમાં સમજો... સવાલ 1: શું તમામ પ્રકારના UPI પેમેન્ટ માટેની લિમિટ વધારવામાં આવી છે? જવાબ: ના, તમામ પ્રકારના UPI પેમેન્ટ માટેની લિમિટમાં વધારો કરવામાં આવ્યો નથી. આ ફેરફાર ફક્ત ચોક્કસ કેટેગરીઓમાં પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) વ્યવહારો માટે કરવામાં આવ્યો છે. પર્સન-ટુ- પર્સન (P2P) વ્યવહારો માટેની લિમિટ પહેલાની જેમ 1 લાખ રૂપિયા રહેશે. સવાલ 2: પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ચુકવણી શું છે? જવાબ: P2M એટલે 'પર્સન-ટુ-મર્ચેન્ટ', જેમાં વ્યક્તિ દુકાન, સર્વિસ પ્રોવાઈડર અથવા કોઈપણ વેપારીને સીધી ચુકવણી કરે છે. આ સામાન્ય રીતે QR કોડ સ્કેન કરીને અથવા વેપારીના UPI ID પર ચુકવણી કરીને કરવામાં આવે છે. સવાલ 3: P2P અને P2M વચ્ચે શું તફાવત છે? જવાબ: P2P એટલે 'પર્સન-ટુ-પર્સન' પેમેન્ટ, જ્યારે એક વ્યક્તિ સીધા બીજા વ્યક્તિને પૈસા મોકલે છે. તેની વર્તમાન લિમિટ 1 લાખ રૂપિયા છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે, P2M માં, એક વ્યક્તિ કોઈ વેપારીને ચુકવણી કરે છે, જેની મર્યાદા હવે 10 લાખ રૂપિયા થઈ ગઈ છે.​​​​​​​ સવાલ 4: કઈ-કઈ કેટેગરીઓમાં લિમિટ વધી છે? જવાબ: સવાલ 5: આ ફેરફારોથી UPI યુઝર્સને કેવી રીતે ફાયદો થશે? જવાબ : આ નિર્ણયનો સીધો ફાયદો એ ગ્રાહકોને થશે જેમને અત્યાર સુધી વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ કે ક્રેડિટ કાર્ડ બિલ જેવી મોટી ચુકવણી કરવામાં મુશ્કેલી પડતી હતી. હવે તેઓ UPI દ્વારા આ ચુકવણી સરળતાથી કરી શકશે. આ ઉપરાંત, રિયલ એસ્ટેટ કે અન્ય મોટા વ્યવહારો પણ આ માધ્યમ દ્વારા શક્ય બનશે. સવાલ 6: શું બેંકો પોતાના પ્રમાણે લિમિટ નક્કી કરી શકે છે? જવાબ : NPCIએ આ લિમિટ નક્કી કરી હોવા છતાં, તેણે સભ્ય બેંકોને તેમની પોતાની નીતિઓ અનુસાર તેમના ગ્રાહકો માટે આંતરિક લિમિટ નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે. આ સમાચાર પણ વાંચો UPIથી પૈસા માંગવાની રિકવેસ્ટ મોકલી શકાશે નહીં: NPCIએ 1 ઓક્ટોબરથી P2P કલેક્ટ રિકવેસ્ટ બંધ કરવા જણાવ્યું, છેતરપિંડી અટકાવવા માટે નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIએ 1 ઓક્ટોબર, 2025 થી UPIમાં પીયર-ટુ-પીયર (P2P) દ્વારા પૈસા કલેક્ટ રિક્વેસ્ટ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થયો કે હવે કોઈ વ્યક્તિ UPI દ્વારા પૈસા માંગવા માટે બીજા વ્યક્તિને રિક્વેસ્ટ મોકલી શકશે નહીં.
    Click here to Read more
    Prev Article
    PM Modi To Visit Bihar, West Bengal Today, A Look At Projects He Will Launch
    Next Article
    Karnataka high court: Hospital name change can’t be grounds to deny reimbursement

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment