Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    PAK-સાઉદી ડીલ કે પછી ભારત-UAE?:હવે ભારત સાથે યુદ્ધ થયું તો પાકિસ્તાનનો સાથ આપશે સાઉદી અરેબિયા? પાક. રક્ષામંત્રીએ આપ્યો જવાબ

    2 weeks ago

    પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન તેના પરમાણુ શસ્ત્રો સાઉદી અરેબિયા સાથે શેર કરશે. બંને દેશોએ બુધવારે એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા, આ કરાર હેઠળ એક દેશ પર હુમલો બંને પર હુમલો માનવામાં આવશે. આસિફે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જીઓ ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું, "આપણી પરમાણુ ક્ષમતા પહેલાથી જ સારી છે. આ કરાર બંને દેશોને એકબીજાનું રક્ષણ કરવાનું વચન આપે છે. અમારી પાસે યુદ્ધ માટે ટ્રેન્ડ સેનાઓ છે. અમારી પાસે જે ક્ષમતાઓ છે તે ચોક્કસપણે આ કરાર હેઠળ ઉપલબ્ધ થશે," જ્યારે આસિફને પૂછવામાં આવ્યું કે શું સાઉદી અરેબિયા ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં પાકિસ્તાનના પક્ષમાં જોડાશે, ત્યારે ખ્વાજા આસિફે કહ્યું, "ચોક્કસ, તેમાં કોઈ શંકા નથી." જોકે, તેમણે કોઈ દેશનું નામ લીધું ન હતું. આ કરારથી સાઉદી અરેબિયાને પાકિસ્તાનના પરમાણુ કવચનો ફાયદો મળી ગયો છે. આ કરાર મુજબ, સાઉદી અરેબિયા પાકિસ્તાનમાં મોટા પાયે રોકાણ કરશે. ભારત અને યુએઈ વચ્ચે ડીલ પાકિસ્તાનની ડીલ બાદ, ભારતે પણ યુએઈ સાથે એક ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલમાં ભારત અને યુએઈ વચ્ચે દરિયાઈ અને અંતરિક્ષ ક્ષેત્રોમાં રોકાણનો સમાવેશ થાય છે.ભારત અને સંયુક્ત આરબ અમીરાત પહેલાથી જ ઊર્જા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. યુએઈ મિડલ ઈસ્ટમાં સાત અમીરાતનું સંયુક્ત રાષ્ટ્ર છે. એ નોંધનીય છે કે યુએઈ અવકાશ મિશન અને દરિયાઈ સંશોધનના ક્ષેત્રોમાં ખાસ કરીને મજબૂત છે. તે મિડલ ઈસ્ટનો એકમાત્ર દેશ છે જ્યાં 100થી વધુ અંતરિક્ષ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ ડીલ પછી, UAE ભારતને પર્સિયનની ખાડીમાંથી વેપાર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. ​​​​આસિફે કહ્યું - તેનો ઉપયોગ હુમલા માટે નહીં, રક્ષા માટે થશે આસિફે કહ્યું કે આ કરારનો ઉપયોગ કોઈ હુમલા માટે નહીં પરંતુ રક્ષા માટે કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને ભંડોળ પૂરું પાડ્યું છે. પાકિસ્તાન પાસે આશરે 170 પરમાણુ હથિયાર છે, જે ભારતના 172 હથિયાર સમાન છે. આસિફે વધુમાં જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા કે અમે કોઈ ચોક્કસ દેશનું નામ લીધું નથી. આ ફક્ત બંને વચ્ચેની એક અમ્બ્રેલા કરાર છે, જેમાં શરત એ છે કે જો બંનેમાંથી કોઈ એક પર હુમલો કરવામાં આવશે, તો તેઓ સંયુક્ત રીતે જવાબ આપશે. આસિફે એમ પણ કહ્યું હતું કે આ કોઈ "આક્રમક સમજુતી" નથી, પરંતુ "રક્ષા વ્યવસ્થા" છે. વિદેશ મંત્રીએ કહ્યું- PAK અન્ય દેશો સાથે પણ આવી ડિફેન્સ ડીલ કરશે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા સાથેની ઐતિહાસિક ડિફેન્સ ડીલ પછી, ઘણા દેશોએ પાકિસ્તાન સાથે સમાન વ્યૂહાત્મક રક્ષા કરાર કરવામાં રસ દાખવ્યો છે. લંડનમાં પત્રકારો સાથે વાત કરતા, ડારે કહ્યું કે કંઈ પણ કહેવું હજુ ઉતાવળભર્યું છે, પરંતુ આ કરાર બાદ, અન્ય દેશોએ પણ આવી જ વ્યવસ્થાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આવા કરારો એક નિયમો હેઠળ જ થાય છે. સાઉદી અરેબિયા સાથેના કરારને ફાઈનલ કરવામાં ઘણા મહિના લાગ્યા હતા. ડારે આ કરારને એક ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યો અને કહ્યું કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા બંને તેનાથી સંતુષ્ટ અને ખુશ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ હંમેશા મુશ્કેલ સમયમાં પાકિસ્તાનને ટેકો આપ્યો છે, ખાસ કરીને હાલના આંતરરાષ્ટ્રીય અને આર્થિક સંકટ દરમિયાન. સાઉદી-પાકિસ્તાન ડિફેન્સ કોર્પોરેશન ડેવલપ કરશે બુધવારે થયેલા કરાર અંગે, બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે આ કરાર બંને દેશોની સુરક્ષા વધારવા અને વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કરાર હેઠળ, બંને દેશો વચ્ચે એક ડિફેન્સ કોર્પોરેશન પણ વિકસાવવામાં આવશે. રોઇટર્સના જણાવ્યા મુજબ, આ કરારમાં લશ્કરી સહયોગની પણ જોગવાઈ કરવામાં આવશે, જેમાં જરૂર પડ્યે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ પણ સામેલ છે. કરાર સમયે પાકિસ્તાની આર્મી ચીફ પણ હાજર હતા શાહબાઝ શરીફની સાથે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર, નાયબ વડાપ્રધાન ઈશાક ડાર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફ, નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબ અને એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન સાઉદી અરેબિયા પહોંચ્યું હતું. આ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર પણ હાજર હતા. એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે આ કરાર કોઈ ચોક્કસ દેશ કે ઘટના વિરુદ્ધ નહોતો, પરંતુ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા અને ગાઢ સહયોગનું સત્તાવાર સ્વરૂપ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું - ભારત પર થતી અસરની તપાસ કરીશું સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેના રક્ષા સમજુતી અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે આ કરાર બંને દેશો વચ્ચેના હાલના સંબંધોને સત્તાવાર સ્વરૂપ આપે છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા પર તેની અસરની તપાસ કરવામાં આવશે. ભારત તેની રાષ્ટ્રીય સુરક્ષા અને હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાને નાટો જેવી ફોર્સ બનાવવાનું સૂચન કર્યું હતું ઇઝરાયલે 9 સપ્ટેમ્બરના રોજ કતારની રાજધાની દોહામાં હમાસના વડા ખલીલ અલ-હૈયાને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. અલ-હૈયા આ હુમલામાં બચી ગયા હતા, પરંતુ 6 અન્ય લોકો માર્યા ગયા હતા. આ પછી, 14 સપ્ટેમ્બરના રોજ, મુસ્લિમ દેશોના ઘણા નેતાઓ ઇઝરાયલ વિરુદ્ધ એક ખાસ બેઠક માટે દોહામાં ભેગા થયા. અહીં, પાકિસ્તાને સૂચન કર્યું કે બધા ઇસ્લામિક દેશોએ નાટો જેવી સંયુક્ત ફોર્સ બનાવવી જોઈએ. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન મોહમ્મદ ઇશાક ડારે જોઈન્ટ ડિફેન્સ ફોર્સ બનાવની શક્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પરમાણુ શક્તિ ધરાવતો પાકિસ્તાન ઇસ્લામિક સમુદાય (ઉમ્માહ) પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવશે. એક્સપર્ટે કહ્યું - આ કરાર ઔપચારિક 'સંધિ' નથી અફઘાનિસ્તાન અને ઇરાકમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત ઝલમય ખલીલઝાદે પણ આ કરાર પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કરાર ઔપચારિક "સંધિ" નથી, પરંતુ તેની ગંભીરતાને જોતાં તેને એક મોટી વ્યૂહાત્મક ભાગીદારી માનવામાં આવે છે. ખલીલઝાદે વધુમાં સવાલ કર્યો કે શું આ કરાર કતાર પર ઇઝરાયલી હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે? શું તે લાંબા સમયથી ચાલી આવતી અફવાઓની પુષ્ટિ કરે છે કે સાઉદી અરેબિયા પાકિસ્તાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમમાં અઘોષિત ભાગીદાર હતું. ખલીલઝાદે પૂછ્યું કે શું કરારમાં ગુપ્ત કલમો છે, અને જો એમ હોય, તો તે શું છે? શું કરાર સૂચવે છે કે સાઉદી અરેબિયા હવે સંપૂર્ણપણે યુએસ સુરક્ષા ગેરંટી પર નિર્ભર રહેવા માંગતું નથી? તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસે એવા પરમાણુ શસ્ત્રો અને મિસાઇલ સિસ્ટમ છે જે સમગ્ર મિડલ ઈસ્ટ અને ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સ સુધી પહોંચવા સક્ષમ શસ્ત્રો પણ વિકસાવી રહ્યું છે. પાકિસ્તાને પણ અમેરિકા સાથે સાઉદી જેવો સંરક્ષણ કરાર કર્યો હતો પાકિસ્તાનનો સાઉદી અરેબિયા જેવો જ સંરક્ષણ કરાર અમેરિકા સાથે કર્યો હતો. આ કરાર 1979માં તૂટી ગયો હતો. તે પહેલાં ભારત અને પાકિસ્તાન બે યુદ્ધ લડી ચૂક્યા હતા, પરંતુ અમેરિકાએ બંનેમાંથી કોઈ એકમાં સીધી મદદ કરી ન હતી. જૂનો પાકિસ્તાન-અમેરિકા સંરક્ષણ કરાર : 1950ના દાયકામાં શીત યુદ્ધ દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સે સોવિયેત યુનિયનના વિસ્તરણનો સામનો કરવા માટે દક્ષિણ એશિયામાં સાથીઓની શોધ કરી. આ સમયે, પાકિસ્તાને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે લશ્કરી ગઠબંધન કર્યું. આ સમાચાર પણ વાંચો... ઇઝરાયલ વિરુદ્ધ કતારમાં 50 મુસ્લિમ દેશો એકઠા થયા: ઇરાને કહ્યું - ઇસ્લામિક દેશોએ ઇઝરાયલ સાથેના સંબંધો તોડી નાખવા જોઈએ, પાકિસ્તાને નાટો જેવી ફોર્સ બનાવવાની સલાહ આપી આજે, મુસ્લિમ દેશોના 50 નેતાઓ ઇઝરાયલ વિરુદ્ધ એક ખાસ બેઠક માટે કતારની રાજધાની દોહામાં ભેગા થયા હતા. આ બેઠક આરબ લીગ અને ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા બોલાવવામાં આવી હતી. તેનો હેતુ 9 સપ્ટેમ્બરના રોજ કતાર પર ઇઝરાયલી હુમલાનો જવાબ આપવાનો છે, જેમાં પાંચ હમાસ સભ્યો અને કતારના એક સુરક્ષા અધિકારી માર્યા ગયા હતા.
    Click here to Read more
    Prev Article
    Navratri Fasting Rules: नवरात्रि के 10 दिन का उपवास कैसे रखें बिना गलती किए? पूरी जानकारी यहां
    Next Article
    'Main enemy of India is dependence on other nations': PM Modi's 'atmanirbhar' push amid Trump tariffs; calls it 'medicine'

    Related International Updates:

    Comments (0)

      Leave a Comment