Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ITR ફાઇલ કરવા માટે 3 દિવસ બાકી:રિટર્ન ફાઇલ કરવાથી તમે સરળતાથી લોન મેળવી શકો છો, જાણો તેના 5 ફાયદા

    3 weeks ago

    નાણાકીય વર્ષ 2024-25 માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે માત્ર 3 દિવસ બાકી છે. આ વખતે આ માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. આવી સ્થિતિમાં, જો તમે હજુ સુધી ITR ફાઇલ કર્યું નથી, તો શક્ય તેટલી વહેલી તકે કરો. ઘણા લોકો માને છે કે જો તેમની વાર્ષિક આવક 2.5 લાખથી ઓછી હોય અને તેઓ ટેક્સના દાયરામાં માં ન આવતા હોય, તો તેમને ITR ફાઇલ કરવાની જરૂર નથી, પરંતુ એવું નથી. જો તમે ઈનકમ ટેક્સના દાયરામાં ન આવતા હોવ તો પણ તમારે રિટર્ન ફાઇલ કરવું જોઈએ, કારણ કે જો તમે ITR ફાઇલ કરો છો, તો તમને તેનાથી ઘણા ફાયદા મળે છે. ITR ફાઇલ કરવાથી લોન મેળવવાનું સરળ બને છે. અમે તમને ITR ફાઇલ કરવાના 5 ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ... સૌ પ્રથમ જાણીએ કે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) શું છે? ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) એ એક પ્રકારનો હિસાબ છે જે તમે સરકારને આપો છો. આમાં, તમે જણાવો છો કે તમે ગયા વર્ષે કેટલી કમાણી કરી હતી, જેના પર ઈનકમ ટેક્સ ચૂકવવાનો છે અને તમે કેટલો ટેક્સ અગાઉથી ચૂકવ્યો છે. આ બતાવે છે કે તમે સરકારને ટેક્સના રૂપમાં કેટલાક વધુ પૈસા આપશો કે સરકાર તમને કેટલાક પૈસા પરત કરશે.​​​​​​​ 1. તમે પેનલ્ટીથી બચી જશે જો તમે નિયત તારીખમાં ITR ફાઇલ નહીં કરો, તો તમારે પેનલ્ટી કે દંડ ભરવો પડી શકે છે. જો કોઈ વ્યક્તિગત કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય, તો તેણે 5,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય, તો તેણે 1,000 રૂપિયા લેટ ફી ચૂકવવા પડશે. સમયસર ITR ફાઇલ કરીને આ દંડથી બચી શકાય છે. 2. નોટિસનો કોઈ ડર રહેશે નહીં હાલમાં, ઈનકમ ટેક્સ વિભાગ તમારી આવક વિશે ઘણા સ્ત્રોતોમાંથી માહિતી મેળવે છે. જો તમે સમયસર ITR ફાઇલ ન કરો તો, ઈનકમ ટેક્સ વિભાગ તમને તે માહિતીના આધારે નોટિસ મોકલી શકે છે. નોટિસની ઝંઝટથી બચવા માટે, સમયસર ITR સબમિટ કરવું ફાયદાકારક છે. 3. વ્યાજની બચત ઈનકમ ટેક્સ નિયમો અનુસાર, જો કોઈ કરદાતાએ ટેક્સ ચૂકવ્યો નથી અથવા તેના પર બાકી રહેલા કુલ કરના 90% કરતા ઓછો ટેક્સ ચૂકવ્યો છે, તો તેણે કલમ 234B હેઠળ દંડ તરીકે દર મહિને 1% વ્યાજ ચૂકવવું પડશે. આ રીતે, સમયસર રિટર્ન ફાઇલ કરીને, તમે ઈનકમ ટેક્સ પર વ્યાજની બચત કરી શકો છો. 4. તમે નુકસાન આગળ ધપાવી શકશો ઈનકમ ટેક્સના નિયમો અનુસાર, જો તમે નિયત તારીખ સુધીમાં ITR ફાઇલ કરો છો, તો તમે તમારા નુકસાનને આગામી નાણાકીય વર્ષોમાં આગળ ધપાવી શકો છો. એટલે કે, તમે આગામી નાણાકીય વર્ષોમાં તમારી આવક પરની કર જવાબદારી ઘટાડી શકો છો. ઉદાહરણ તરીકે, જો શેરના વેચાણ પર નુકસાન થાય છે, તો તેને 8 વર્ષ માટે આગળ ધપાવી શકાય છે. જો કે, જો સમયસર રિટર્ન ફાઇલ કરવામાં ન આવે તો નુકસાન આગળ ધપાવી શકાતું નથી અને આ લાભ ઉપલબ્ધ થશે નહીં. 5. ટેક્સ રિફંડનો દાવો કરવો જો તમારી આવકમાંથી ટેક્સ કાપીને સરકારમાં જમા કરવામાં આવ્યો હોય, તો તમે ITR ફાઇલ કર્યા વિના તે પાછો મેળવી શકતા નથી, ભલે તમારી આવક ઈનકમ ટેક્સમાં મૂળભૂત મુક્તિ મર્યાદામાં હોય. જો તમારે ટેક્સ રિફંડનો દાવો કરવો હોય, તો આ માટે ITR ફાઇલ કરવું જરૂરી છે. જ્યારે તમે ITR ફાઇલ કરો છો, ત્યારે ઈનકમ ટેક્સ વિભાગ તેનું મૂલ્યાંકન કરે છે. જો તમને રિફંડ મળે છે, તો તે સીધું તમારા બેંક ખાતામાં જમા થાય છે.
    Click here to Read more
    Prev Article
    करणी माता मेला 22 सितंबर से, इस बार पैदल ही करना होगा सफर… वाहनों की नो एंट्री  
    Next Article
    PM મોદી મણિપુરના ચુરાચંદપુર પહોંચ્યા:2023ની હિંસા પછી રાજ્યની પહેલી મુલાકાત; ₹8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment