Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    મધ્યમ વર્ગને હવે GSTમાંથી રાહત મળશે!:મોટા ફેરફારની તૈયારીમાં સરકાર, 12% સ્લેબ ખતમ થઈ શકે છે; જીવજરૂરી ચીજો સસ્તી થશે

    5 days ago

    2

    0

    કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને વધુ એક મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના દરોમાં ટૂંક સમયમાં ભારે ઘટાડો થઈ શકે છે, જેના કારણે સામાન્ય માણસની રોજિંદી વસ્તુઓ સસ્તી થશે. સરકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં સામાન્ય રીતે વપરાતી અને હાલમાં 12% GST લાગતી વસ્તુઓ પર GST ઘટાડવાનું ગંભીરતાથી વિચારી રહી છે. સરકાર GST પર મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે અને આ અંતર્ગત, 12% GST સ્લેબ હેઠળ આવતા મોટાભાગના માલ-સામાનને 5% કેટેગરીમાં લાવી શકાય છે. સરકાર 12 ટકા GST યાદીમાં રહેલી મોટાભાગની વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં લાવવા અથવા 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવા પર વિચારી રહી છે. શું ફેરફાર થઈ શકે છે? સરકાર બે મુખ્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. પહેલો - 12% GST સ્લેબમાં રાખવામાં આવેલા મોટાભાગના માલ-સામાનને 5% સ્લેબમાં ટ્રાન્સફર કરવાનો. બીજો -12% સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો. 12% ને બદલે 5% સ્લેબની તૈયારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આવા માલ પર GSTમાં રાહત આપી શકે છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ખાસ કરીને મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં થાય છે અને જે 12% GST ટેક્સ સ્લેબ હેઠળ આવે છે.સરકાર હવે વિચારી રહી છે કે આમાંની મોટાભાગની ચીજોને 5% ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફર કરી શકાય છે અથવા તેના પર લાદવામાં આવેલા 12% સ્લેબને નાબૂદ કરી શકાય છે. એ નોંધનીય છે કે રોજિંદા જીવનમાં વપરાતી મોટાભાગની ચીજો આ સ્લેબમાં આવે છે. આ વસ્તુઓ સસ્તી થશે સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એવા માલ-સામાન પર GSTમાં રાહત આપી શકે છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં થાય છે અને 12 ટકા GST ટેક્સ સ્લેબ હેઠળ આવે છે. સરકાર હવે વિચારી રહી છે કે આમાંની મોટાભાગની ચીજોને 5% ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફર કરી શકાય છે અથવા તેના પર લાદવામાં આવેલા 12% સ્લેબને નાબૂદ કરી શકાય છે. એ નોંધનીય છે કે રોજિંદા જીવનમાં વપરાતી મોટાભાગની ચીજો આ સ્લેબમાં આવે છે. ચંપલ, મીઠાઈઓ, કપડાં અને ડેરી પ્રોડક્ટ્સ જેવી ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દેશભરમાં એક ટેક્સ સિસ્ટમ તરીકે લાવવામાં આવી હતી જેથી વિવિધ કરને એકસાથે જોડી શકાય. પરંતુ હવે 8 વર્ષ પછી, સરકાર બીજો એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થઈ શકે છે. સરકાર હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. 12% ટેક્સ સ્લેબ દૂર કરવાની અને ઘણી વસ્તુઓને 5% ટેક્સ સ્લેબ હેઠળ લાવવાની યોજના છે. આનાથી જૂતા, ચંપલ, મીઠાઈઓ, કેટલાક કપડાં અને ડેરી પ્રોડક્ટ્સ જેવી ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. GST વર્ષ 2017માં લાગુ કરવામાં આવ્યો હતો દેશમાં GST વર્ષ 2017માં લાગુ કરવામાં આવ્યો હતો અને ગઈ 1 જુલાઈના રોજ તેને આઠ વર્ષ પૂર્ણ થયા છે. દેશમાં GST દરો GST કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ તેમને બદલવાના કોઈપણ નિર્ણયમાં સામેલ હોય છે. ભારતમાં GST સ્લેબની વાત કરીએ તો, હાલમાં ચાર GST સ્લેબ છે. 5%, 12%, 18% અને 28%. અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, નાસ્તા અને મીઠાઈઓ ઉપરાંત, સોના-ચાંદી અને અન્ય તમામ ચીજવસ્તુઓને વિવિધ કેટેગરી અનુસાર આ ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે. સરકાર પર બોજો પડવાનો અંદાજ આ પગલાથી કેન્દ્ર સરકાર પર ₹40,000 થી ₹50,000 કરોડનો નાણાકીય બોજ પડવાનો અંદાજ છે. જોકે, કેન્દ્ર સરકાર આ માટે તૈયાર છે અને તેના માટે જોગવાઈ કરી શકાય છે. સરકારનો અંદાજ છે કે GST દર ઘટાડવાથી વપરાશમાં વધારો થશે, જેનાથી આગામી વર્ષોમાં આવકમાં પણ વધારો થશે અને આ નાણાકીય બોજની ભરપાઈ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલમાં એક ઇન્ટરવ્યુમાં સંકેત આપ્યો હતો કે સરકાર GST દર ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે.
    Click here to Read more
    Prev Article
    એશિયા કપ 5 થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ શકે:મીડિયા રિપોર્ટ્સમાં દાવો; ભારત-પાકિસ્તાન બે વાર ટકરાઈ શકે, ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે
    Next Article
    Dalai Lama reveals succession plan: How will the next Buddhist spiritual leader be selected? - All you need to know

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment