Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    બેંગલુરુમાં ટ્યુશનમાંથી પરત ફરતા ધો.8માં ભણતા છોકરાનું અપહરણ:5 લાખ માંગ્યા, પિતાએ FIR નોંધાવી તો માસુમની હત્યા કરી લાશ સળગાવી દીધી; ઘરનો ડ્રાઈવર જ હત્યારો નીકળ્યો

    2 months ago

    કર્ણાટકના બેંગલુરુમાં 13 વર્ષના છોકરાનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. 30 જુલાઈના રોજ બેનરઘટ્ટા નજીકથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે તેનો અર્ધ બળેલો મૃતદેહ બેનરઘટ્ટાના કાગલીપુર રોડ પર એક નિર્જન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ વિસ્તાર છોકરાના ઘરથી માત્ર 8 કિલોમીટર દૂર છે. છોકરાનું નામ નિશ્ચિત એ. હતું. તે બેંગલુરુમાં અરાકેરે નજીક વૈશ્ય બેંક કોલોની શાંતિનિકેતન બ્લોકનો રહેવાસી હતો અને ક્રાઇસ્ટ સ્કૂલમાં આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો. તેના પિતા અચ્યુત જેસી બેંગલુરુની એક પ્રતિષ્ઠિત કોલેજમાં લેક્ચરર છે અને માતા એક ટેક કંપનીમાં કામ કરે છે. ગ્રામીણ બેંગલુરુના એસપી સીકે બાબાએ જણાવ્યું હતું કે અપહરણકારોએ છોકરાના માતા-પિતા પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જ્યારે છોકરાના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે અપહરણકારોએ છોકરાની હત્યા કરીને તેની લાશ સળગાવી દીધી. આ કેસમાં શુક્રવારે સવારે બેનરઘટ્ટા વિસ્તાર નજીક પોલીસ એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાંથી એક સગીરના ઘરનો ડ્રાઇવર છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડના પ્રયાસ દરમિયાન બંનેએ પોલીસ અધિકારીઓ પર છરીથી હુમલો કર્યો હતો. ટ્યુશનથી પરત ફરતી વખતે છોકરાનું અપહરણ પોલીસના જણાવ્યા અનુસાર, નિશ્ચિતના માતા-પિતાએ બુધવારે સાંજે હુલીમાવુ પોલીસનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે તેમનો પુત્ર ટ્યુશનમાં ગયો હતો પરંતુ પાછો ફર્યો નથી. સગીરના પિતાના નિવેદન મુજબ, નિશ્ચિત દરરોજ સાંજે 5 વાગ્યે ક્લાસમાં હાજરી આપવા માટે અરાકેરે 80 ફૂટ રોડ ખાતે ટ્યુશન સેન્ટરમાં જતો હતો અને સાંજે 7:30 વાગ્યે પાછો ફરતો હતો. 30 જુલાઈના રોજ, તે દરરોજની જેમ ટ્યુશન ગયો. જ્યારે તે રાત્રે 8 વાગ્યા સુધી ઘરે પાછો ન ફર્યો, ત્યારે તેના માતાપિતાએ પહેલા ટ્યુશન શિક્ષક સાથે વાત કરી અને જાણ્યું કે તે ક્લાસમાં આવ્યો હતો અને ટ્યુશન બાદ સમયસર ઘરે જવા પણ નીકળ્યો હતો. આ પછી, નિશ્ચિતના માતાપિતાએ ટ્યુશનથી ઘરે જતા રસ્તામાં તેને શોધવાનું શરૂ કર્યું. આ દરમિયાન, ફેમિલી પાર્ક પાસે તેની સાયકલ મળી આવી. માતા-પિતાએ સંબંધીઓ અને તેના મિત્રોની પણ પૂછપરછ કરી, પરંતુ કંઈ જાણવા આવ્યું નહીં. પોલીસે નિશ્ચિત ટ્યુશનથી ઘરે પરત ફરતા રસ્તામાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એક બાઇક સવારે તેને રોક્યો હતો. થોડી વાતચીત પછી, નિશ્ચિત સાયકલ મુકીને તેની સાથે બાઇક પર ગયો હતો. રાત્રે 1 વાગ્યે અપહરણકારોએ ફોન કર્યો, 5 લાખ રૂપિયાની ખંડણી માંગી પોલીસે 30 જુલાઈના રોજ રાત્રે 10.30 વાગ્યે કેસ નોંધ્યો અને છોકરાની શોધખોળ શરૂ કરી. તે જ રાત્રે લગભગ 1 વાગ્યે, નિશ્ચિતના માતા-પિતાને એક અજાણ્યા વ્યક્તિ તરફથી 5 લાખ રૂપિયાની ખંડણીનો ફોન આવ્યો. છોકરાના પિતાએ અપહરણકર્તાની માંગણી સ્વીકારી અને તેમના પુત્રને સુરક્ષિત રીતે પરત કરશો એવી વાત કરી. ફોન કરનારે તેમને પૈસાની વ્યવસ્થા કરવાનું કહ્યું અને બીજા દિવસે સવારે લોકેશન જણાવીશ એમ કહીને ફોન કટ કરી દીધો. ગુરુવારે સવારે ફરી ફોન આવ્યો. ફોન કરનારે પૂછ્યું કે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે કે નહીં. છોકરાના માતા-પિતાએ કહ્યું કે તેમણે પૈસા તૈયાર રાખ્યા છે. આ પછી અપહરણકર્તાએ તેમને એક લોકેશનથી બીજું લાકેશન મોકલવાનું શરૂ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, કદાચ અપહરણકર્તાઓ એ જોવા માંગતા હતા કે પોલીસ છોકરાના માતા-પિતાનો પીછો કરીને તેમને પકડવાના પ્રયાસ કરી રહી છે કે નહીં. આ પછી, અચાનક, અપહરણકર્તાનો ફોન બંધ આવવા લાગ્યો. આ પછી, માતાપિતાએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી. એક રાહદારીએ બાળકનો મૃતદેહ જોયો અને પોલીસને જાણ કરી બન્નેર્ઘટ્ટા પોલીસે બાળકની ઉંમર અને ફોટોગ્રાફ નજીકના પોલીસ સ્ટેશનોને મોકલી દીધા. ગુરુવારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ, એક રાહદારીએ બન્નેર્ઘટ્ટા-ગોટીગેરે રોડ પર બાળકનો મૃતદેહ જોયો. માહિતી મળતાં, પોલીસ નિશ્ચિતના માતાપિતા સાથે ઘટનાસ્થળે પહોંચી, જેમણે તેમના પુત્રની ઓળખ કરી. તેનો મૃતદેહ ખરાબ રીતે બળી ગયો હતો. તેના જૂતા અને કપડાં પણ સળગી ગયા હતા. અહીં, પોલીસને કાગલીપુરા રોડ પાસે બે શંકાસ્પદ લોકો છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ગુરુવારે રાત્રે લગભગ 1 વાગ્યે, જ્યારે પોલીસે શંકાસ્પદોને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ અધિકારીઓ પર છરીથી હુમલો કર્યો. ત્યારબાદ પોલીસે તેમના પર ગોળીબાર કર્યો. આમ છતાં, શંકાસ્પદોએ ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે બંનેને પગમાં ગોળી મારીને પકડી લીધા. આરોપીઓની ઓળખ ગુરુમૂર્તિ અને ગોપીકૃષ્ણ તરીકે થઈ છે. ગુરુમૂર્તિ મૃતક સગીરના ઘરે ડ્રાઇવરનું કામ કરતો હતો. ગુરુમૂર્તિને બંને પગમાં ગોળી વાગી હતી, જ્યારે ગોપીકૃષ્ણને જમણા પગમાં ગોળી વાગી હતી. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુમૂર્તિએ નિશ્ચયનું અપહરણ કર્યું હતું જ્યારે તે ટ્યુશનથી પાછો ફરી રહ્યો હતો.
    Click here to Read more
    Prev Article
    Watch: What Bihar Voters Say About Electoral Revision Survey | I Witness
    Next Article
    Bilateral Ties Reset? Canada Makes First India Posting Since Diplomatic Row

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment