Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    શું શુભમન ગિલ પ્લેઇંગ-11માંથી બહાર થશે?:એશિયા કપમાં આજે ફરી ભારત Vs પાકિસ્તાન વચ્ચે મુકાબલો, મેચ રેફરી પાયક્રોફ્ટ જ રહેશે

    2 weeks ago

    એશિયા કપમાં જીતની હેટ્રિક બનાવી ચૂકેલી ભારતીય ટીમ આજે સુપર-4 રાઉન્ડમાં પહેલો મુકાબલો રમવા ઉતરશે. સામે કટ્ટર હરીફ પાકિસ્તાન છે. ગ્રૂપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને એકતરફી અંદાજમાં 7 વિકેટે હરાવ્યું હતું. આ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7:30 વાગ્યે થશે. મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ જ રહેશે ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચમાં 'નો હેન્ડશેક' વિવાદ થયો હતો. પહેલગામ હુમલાના વિરોધમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહોતો. આ પછી પાકિસ્તાને ટીમ ઈન્ડિયાની ફરિયાદ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને કરી. મેચ રેફરીએ કોઈ પગલાં ન લીધા, તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ફરિયાદ લઈને ICC પાસે પહોંચી ગયું. PCBની માગ હતી કે પાયક્રોફ્ટને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવે. જો આવું ન થાય તો તેમને ઓછામાં ઓછું પાકિસ્તાનની મેચમાંથી બહાર રાખવામાં આવે. ICCએ PCBની બંને માગણીઓ ન માની. આજના મેચમાં પણ એન્ડી પાયક્રોફ્ટ જ રેફરી હશે. પાકિસ્તાને આના વિરોધમાં ગઈકાલે પોતાની પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી હતી. એક ઇનિંગમાં ગિલથી આગળ નીકળ્યો સંજુ ભારતે ટુર્નામેન્ટમાં જીતની હેટ્રિક બનાવી છે. આમ છતાં ટીમમાં કેટલીક સમસ્યાઓ ઊભરી છે. ત્રણ મેચ પછી પણ ભારતનો કોઈ પણ બેટર ટુર્નામેન્ટમાં 100 રન પૂરા કરી શક્યો નથી. ઓપનર અભિષેક શર્માએ સૌથી વધુ 99 રન બનાવ્યા છે. બીજા ઓપનર અને ટીમનો વાઇસ કેપ્ટન શુભમન ગિલ 3 મેચમાં માત્ર 35 રન જ બનાવી શક્યો છે. ગિલને સંજુ સેમસનની જગ્યાએ ઓપનિંગમાં મોકલવામાં આવે છે. સેમસને 1 ઇનિંગમાં જ બેટિંગ કરી અને 56 રન બનાવીને ગિલથી આગળ નીકળી ગયો. હવે જોવું એ પડશે કે ટીમ મેનેજમેન્ટ ગિલને ફરી એકવાર તક આપે છે કે સંજુને તેનું જૂનું સ્થાન પાછું સોંપે છે. ગિલને આ ટુર્નામેન્ટ માટે વાઇસ કેપ્ટન બનાવ્યો છે. શક્ય છે કે 'પદની ગરિમા'નું ધ્યાન રાખતા ગિલને ફરી એક તક આપવામાં આવે. આ વખતે ભારતીય ટીમ કોઈ પ્રયોગ નહીં કરે ઓમાન સામે ભારતે એવા બેટર્સને પ્રેક્ટિસ કરાવી જેઓ UAE અને પાકિસ્તાન સામે ક્રિઝ પર વધુ સમય નહોતા વિતાવી શક્યા. તેથી, ત્યારે સંજુ નંબર ત્રણ પર રમ્યો હતો અને સૂર્યા બેટિંગ માટે ઉતર્યો જ નહોતો. આ મેચમાં આવો કોઈ પ્રયોગ થશે નહીં. જો ગિલ અને અભિષેક ઓપનિંગ કરશે તો નંબર-3 પર કેપ્ટન સૂર્યકુમાર અને નંબર-4 પર તિલક વર્મા ઉતરશે. આ પછી પરિસ્થિતિ મુજબ હાર્દિક પંડ્યા, સંજુ સેમસન અને શિવમ દુબેને ઉતારવામાં આવશે. હાલમાં, લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ રમી શકશે કે નહીં તે પ્રશ્નાર્થ છે. અક્ષરને છેલ્લી મેચમાં ઈજા થઈ હતી. જો તે નહીં રમે તો તેની જગ્યાએ ઝડપી બોલર હર્ષિત રાણા અથવા અર્શદીપ સિંહને તક મળી શકે છે. આવા સંજોગોમાં ત્રીજા સ્પિનરની ભૂમિકા અભિષેક શર્મા અથવા તિલક વર્માને નિભાવવી પડી શકે છે. વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહની પ્લેઇંગ-11માં વાપસી થશે. આ બંનેને ઓમાન સામેના મુકાબલામાં આરામ આપવામાં આવ્યો હતો. ભારતની સંભવિત પ્લેઇંગ-11 આ મુજબ હોઈ શકે છે: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ/હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ. પાકિસ્તાન ટીમનો એસિડ ટેસ્ટ આ મેચ પાકિસ્તાન ટીમની પ્રતિષ્ઠા, ક્વોલિટી અને સ્કિલ્સનો એસિડ ટેસ્ટ સાબિત થશે. ભારત સામેની છેલ્લી મેચમાં પાકિસ્તાન પહેલીથી લઈને છેલ્લી બોલ સુધી ભારત સામે બિલકુલ ટકી શક્યું નહોતું. જો પાકિસ્તાન આ મુકાબલામાં પણ ભારતને ટક્કર નહીં આપી શકે તો ક્રિકેટ જગતમાં તેની વધુ બદનામી થશે. છેલ્લી મેચમાં થયેલા 'નો હેન્ડશેક' વિવાદની અસર પણ પાકિસ્તાનના ખેલાડીઓ પર વધુ જોવા મળી રહી છે. ટીમ મીડિયાથી બચતી ફરી રહી છે. આવા સંજોગોમાં પાકિસ્તાન માટે પણ યોગ્ય પ્લેઇંગ-11 પસંદ કરવી અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. ઓપનર સૈમ અયુબ સતત ત્રણ મેચમાં ઝીરો પર આઉટ થઈ ચૂક્યો છે. આમ છતાં તેને એક તક વધુ મળી શકે છે. તે બેટિંગમાં ભલે નિષ્ફળ રહ્યો હોય, પરંતુ બોલર તરીકે સારું પ્રદર્શન કર્યું છે. ભારત સામે તેણે છેલ્લી મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. તેની સાથે સાહિબઝાદા ફરહાન ઓપનિંગ કરશે. જો અયુબને ટીમમાંથી પડતો મુકાય અથવા બેટિંગ ઓર્ડરમાં નીચે જાય તો ફખર ઝમાન અને ફરહાન ઓપનિંગ કરી શકે છે. પાકિસ્તાને UAE સામેની છેલ્લી મેચમાં ખુશદિલ શાહ અને હારિસ રઉફને તક આપી હતી. ભારત સામે પણ આ બંનેને પ્લેઇંગ-11માં સામેલ કરી શકાય છે. પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ-11: સલમાન અલી આગા (કેપ્ટન), સૈમ અયુબ, સાહિબઝાદા ફરહાન, ફખર ઝમાન, હસન નવાઝ, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ અને અબરાર અહેમદ.
    Click here to Read more
    Prev Article
    Aaj Ka Rashifal 21 September 2025 : सूर्य ग्रहण व सर्वार्थ सिद्धि योग में सभी राशियों का भविष्य
    Next Article
    IBPS PO Prelims Result 2025: Expected Date, Download Link, What's Next

    Related Sports Updates:

    Comments (0)

      Leave a Comment